શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
તારીખ:- 17 સપ્ટેમ્બર 2021,શુક્રવાર
લાખણી ખાતે આવેલી શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં જનનાયક, લોકપ્રિય, વિકાસપુરુષ તથા વૈશ્વિક ફલક પર માં ભારતના પરમવૈભવને પુનઃ સ્થાપિત કરાવવા દ્રઢસંકલ્પિત, રાજર્ષિ, ભારતવર્ષનું ગૌરવ તથા ગુજરાતની ધરાના સપૂત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાબરાભાઈ ચૌધરી પ્રમુખ લાખણી તાલુકા ભાજપ, સેંધાભાઈ પ્રજાપતિ, બાબુલાલ પાનકુટા, તેજાભાઇ ભુરીયા, અગરાજી ઠાકોર, લક્ષ્મણભાઈ પટેલ, હેમરાજભાઈ પટેલ, રમેશભાઈ પ્રજાપતી, હરિભાઈ ચૌધરી, મહેશભાઈ પટેલ, ક્રિષ્ના આર્ટસ કોલેજના પ્રમુખ બળવંતભાઈ વી. ચૌધરી, ટ્રસ્ટીઓ વિનોદભાઈ કે. પટેલ, ટી. એન. પટેલ, સુરેશ ચૌધરી તથા સ્ટાફગણ અને કૉલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.